ઘણી વખત ATM નાં ડિસ્પ્લે પર લખેલું હોય છે – Out of Cash, Temporarily Out of Service. હવે રિઝર્વ બેંકે આ માટે ખાસ સૂચના આપી છે. હવે જો ATM માં પૈસા નહીં હોય તો બેંકને દંડ ફટકારવામાં આવશે. રિઝર્વ બેંકે મંગળવારે આ જાહેરાત કરી હતી.
આ પણ વાંચો – પાકિસ્તાન / પંજાબ પ્રાંતનું મંદિર સમારકામ પછી હિન્દુઓને સોંપવામાં આવ્યું, ટોળાએ હુમલો કરી તોડફોડ કરી હતી
ભારતીય રિઝર્વ બેન્કે ગ્રાહકોને મોટી રાહત આપી છે. ભારતીય રિઝર્વ બેન્કે તમામ બેંકોને સ્પષ્ટપણે સૂચના આપી છે કે જો તેમના એટીએમમાં રોકડ ન મળે અને ગ્રાહક પૈસા ઉપાડતી વખતે એટીએમમાં પૈસા ખતમ થઇ ગયા તો બેંકને દંડ ફટકારવામાં આવશે. ઘણીવાર એવું જોવા મળે છે કે એટીએમમાં કેશ ખતમ થઈ ગયુ છે, જેના કારણે ગ્રાહકોને ખૂબ જ તકલીફ પડે છે, પરંતુ હવે આરબીઆઈએ એવી બેંકો સામે દંડ લગાવવાનો નિર્ણય કર્યો છે જેમના એટીએમમાં રોકડ નહીં મળે. રિઝર્વ બેંકે તેના આદેશમાં કહ્યું છે કે જો સમયસર એટીએમમાં પૈસા જમા ન થાય અને ગ્રાહકો રોકડ ઉપાડવા અસમર્થ હોય તો બેંકો પર 10 હજાર રૂપિયાનો દંડ લાદવામાં આવશે. આરબીઆઈ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો એટીએમમાંથી રોકડ ખતમ થયાનાં 10 કલાકની અંદર રોકડ જમા નહીં થાય તો બેંક પર 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સંદર્ભે આરબીઆઈ દ્વારા એક પરિપત્ર પણ જારી કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો – અફઘાનિસ્તાન / ભારતીય દૂતાવાસની સલાહ, ભારતીયોએ તરત જ પોતાના પાછા ફરવાની તૈયારીઓ શરૂ કરવી જોઈએ
આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે, એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે લોકોને જ્યા ત્યાં ભટકવું ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. RBI એ આ નિર્ણય એટલા માટે લીધો છે કે બેન્કો અને વ્હાઈટ લેબલ ATM ઓપરેટરો એ વાતની ખાતરી કરે કે ATM માં સમયસર પૈસા જમા થાય અને લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. રિઝર્વ બેંકનો આ આદેશ 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. આ પછી, જો કોઈ એટીએમમાં રોકડ ન મળે અને નિયત સમય મર્યાદામાં રોકડ જમા ન થાય, તો બેંક સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેના પર 10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. જો કે, એટીએમમાં રોકડ ન હોય તો એટીએમમાં રોકડ ભરવાનું કામ કરનાર વ્હાઇટ લેબલ એટીએમ સામે બેંક કાર્યવાહી કરવા માટે મુક્ત રહેશે.