ગુજરાતનો ખેડૂત સિંચાઈના પાણી માટે મોટા ભાગે વરસાદ પર આધારિત હોય છે. આ વર્ષે અનરાધાર વરસેલા વરસાદે ખેડૂતને રાત પાણીએ રડાવ્યા હતા. તો હવે રવિ પાક ની મોસમ પુર બહારમાં આવી છે. ત્યારે ક્યાંક ખેડૂત ખેતરોમાં સિંચાઈના પાણી માટે સરકાર પાસે માંગણી કરી રહ્યા છે તો કયાંક કેનાલમાં લીકેજને કારણે ખેડૂતને રડવાનો વારો આવ્યો છે.
રાજકોટ
રાજકોટ ખાતે પણ ખેડૂતોએ ખેતરમાં રવિ પાક લીધો છે. અને પરંતુ પાણી કયાંથી લાવવું તે ખેડૂતો માટે મોટો વિકટ પ્રશ્ન બનીને ઉભો છે. જે અંગે રાજકોટ ભાદર-1 ડેમમાંથી પાણી છોડવા માટે કોંગ્રેસ ના MLA દ્વારા સરકારને વિનંતી કરવામાં આવી છે.
આ અંગે કોંગ્રેસ MLA કોંગ્રેસ MLA લલિત વસોયાએ CM રૂપાણીને એક પત્ર લખ્યો છે. અને લલિત વસોયાએ પાણી છોડવા પત્રમાં વિનંતી કરી છે. આગામી 3 દિવસમાં ડેમમાંથી પાણી છોડવા આદેશ કરવા માંગ કરી છે.
હળવદ
હળવદ ખાતે કવાડિયાની બ્રાંચ કેનાલમાં લીકેજ થ્યુચે. જેને લઈને કેનાલના પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યા છે. જેને કારણે ખેડૂતોને પાકમાં ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા 5 વર્ષથી પાણીના ભેજથી પાકમાં નુકશાન થઇ રહ્યું છે.
જીરું, વરીયાળી અને ઘઉંના પાકમાં મોટું નુકશાન થઇ રહ્યું છે. પાણીના નિકાલ માટે ગટરના અધૂરા કામથી પણ ખેડૂતને ઘણી મુશ્કેલીણો સામનો કરવો પડી રહ્યો છે. આશરે 40 વીઘા જમીનમાં પાણીનો ભેજ લાગવાથી નુકસાન વેથી રહ્યા છે.
છેલ્લા 5 વર્ષોથી આ અંગે નર્મદાના અધિકારીને લેખિતમાં રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કો જ ઉકેલ મળ્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.