ઘણા લોકો શરીરને સ્વસ્થ રાખવા માટે લીંબુ પાણીથી લઇને આંબળાના રસનો ઉપયોગ કરે છે. ઘણા લોકો જીરું અને અજવાઈન પાણી પીતા પણ જોવા મળ્યા છે. આ તમામની સાથે, વરિયાળી ઘણા ફાયદાકારક ગુણધર્મોને કારણે પણ પસંદ કરવામાં આવે છે. વરિયાળીનાં પાણીનો ઉપયોગ મેદસ્વીતા, પાચન અને ગેસને દૂર કરવા માટે થાય છે.
વરિયાળીમાં પોટેશિયમ, આયર્ન, એન્ટી-ઇન્ફ્લેમેટરી, ફોલેટ, વિટામિન સી, ફાઇબર, મેંગેનીઝ, એન્ટી ઓક્સિડેન્ટ જેવા ઘણા ગુણધર્મો છે. જેના કારણે આપણે આપણા શરીરનું વજન સતત કન્ટ્રોલમાં રાખી શકીએ. એક ચમચી અથવા વરિયાળીના 6 ગ્રામ દાણા તમને લગભગ 2 ગ્રામ ફાયબર આપી શકે છે. વરિયાળીનાં બીજમાં ભરપૂર ફાઇબર હોવાને કારણે, આપણા શરીરનું પાચન સારું રહે છે.
શરીરને ડિટોક્સ કરવા માટે
તમે વરિયાળીના પાણીનો ઉપયોગ ડિટોક્સ વોટર તરીકે કરી શકો છો. વરિયાળીનું પાણી બનાવવા માટે, તમારે એક ચમચી વરિયાળીને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખવી પડશે. જેનો દરરોજ ઉપયોગ કરવાથી તમારા શરીરને ડિટોક્સ કરશે. જેના કારણે શરીરમાં એકઠા થયેલા ઘણા ઝેરી તત્વો શરીરમાંથી બહાર નીકળી જાય છે.
બ્લડ સુગરને ટેસ્ટ કરાવતા પહેલા આ ભૂલ ક્યારેય નહીં કરતા, નહીંતર રીડિંગ આવી શકે છે ખોટુ
વજન ઘટાડવામાં મદદરૂપ
વરિયાળીનું પાણી ખોરાકના ઝડપી પચાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં જોવા મળતા ફાઈબર શરીરમાં ઉર્જા આપે છે. તેથી, વારંવાર અને નિયમિત ઉપયોગ કરવાથી તેનાથી ભૂખ લાગે છે અને શરીર નબળું થતું નથી, જે શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે.
પેટની ફરિયાદો દૂર કરો
વરિયાળીમાં વિટામિન સી, મેગનીઝ અને એન્ટી ઓક્સિડેન્ટ જેવા ગુણો પેટના વિકારને દૂર કરવામાં ખૂબ મદદ કરે છે. તેનો ઉપયોગ કરવાથી પેટનું ફૂલવું, કબજિયાત અને ગેસની સમસ્યામાંથી મુક્તિ મળે છે.