Gujarat/ વર્ષ 2020-21 સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2015 કરતા કેવી રીતે થશે અલગ, જાણો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. 21 અને 28 ફેબ્રુઆરીએ બે તબક્કામાં ચૂંટણી યોજાશે…..

Gujarat Others
Untitled 83 વર્ષ 2020-21 સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2015 કરતા કેવી રીતે થશે અલગ, જાણો

@અરૂણ શાહ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. 21 અને 28 ફેબ્રુઆરીએ બે તબક્કામાં ચૂંટણી યોજાશે. દરમિયાન વર્ષ-2015 કરતાં અનેકવિધ મુદ્દે વર્ષ-2020-21 અલગ થશે. ત્યારે જોઇએ કયા મુદ્દે વર્ષ-2020-21ની ચૂંટણી અલગ હશે  ?

રાજ્યમાં 21 ફેબ્રુઆરીએ મહાનગરપાલિકા અને 28 ફેબ્રુઆરીએ નગરપાલિકા-જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. દરમિયાન ગત વર્ષ-2015 કરતા અનેક રીતે વર્ષ-2020-21 ચૂંટણી અલગ રીતે યોજાશે. ગત વર્ષ-2015ની ચૂંટણીમાં મતદાતાઓએ શિસ્તબદ્ધ લાઇનમાં ઉભા રહીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ વર્ષે-2021માં કોરોના ગ્રહણનાં કારણે મતદારો માટે ખાસ આયોજન અને કોવિડ-2019નું પાલન મતદારોએ કરવાનું રહેશે. વર્ષ-2015 ચૂંટણી સમયે ઠાકોર – પાટીદાર સહિતના સમાજના આંદોલનથી રાજકીયપક્ષ માટે કેન્દ્રસ્થાને રહ્યાં. તો આ વર્ષે આંદોલન નથી, તેનો લાભ ભાજપને થશે એવું લાગે છે.

ગુજરાતમાં આપ, એઆઇએમઆઇએમ અને બીટીપી એ ત્રીજા રાજકીયપક્ષ તરીકે ચૂંટણીજંગમાં ઝૂકાવવા નિર્ણય કર્યો છે. પરંતુ આ રાજકીયપક્ષનાં અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ સર્જાયાં છે. લોકો આ રાજકીયપક્ષને મતદારો કેટલાં સ્વીકારે છે તે જોવું રહેશે. તો આર્થિક ખર્ચ તરીકે જોઇએ તો વર્ષ-2015માં મતદાન દીઠ 20 હજાર ખર્ચ કરવામાં આવ્યો હતો. આ વર્ષે મતદાનદીઠ 25 હજાર ખર્ચ થવાની સંભાવના છે. આ સંજોગોમાં હવે ચૂંટણી પંચના નિર્ણય પર સૌની નજહ રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો