અન્નદાતા તરીકે જાણીતા એવા ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકાર દ્વારા આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમના આ નિર્ણયથી દેશના અન્નદાતાની અવાક બમણી થઈ જશે. પ્રધાન મંત્રી મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ખેડૂતની આવક વધારવા માટે ના નિર્ણયો લેવામાં આવ્યા છે .
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ખરીફ પાકના ન્યૂનતમ સપોર્ટ કિમત માં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે વિવિધ ખરીફ પાકોના MSPમાં 50 થી 62 ટકાનો વધારો કર્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં વધુ ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેની જાણકારી કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે આપી છે.
આ માહિતી આપતાં કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમારે કહ્યું કે, ‘કેન્દ્ર સરકારે ખરીફ પાક પર MSPમાં 50 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર છેલ્લા સાત વર્ષથી ખેડૂતોના હિતમાં નિર્ણયો લઈ રહી છે, અને તેમની સમસ્યાઓના નિરાકરણ અંગે ચર્ચા કરવા માટે દરેક સમયે તૈયાર છે.