તિહાર જેલમાં પલંગ પર સૂતા મસાજ કરાવતા આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સત્યેન્દ્ર જૈનનો કથિત વીડિયો લીક થયા બાદ દિલ્હી ભાજપે શનિવારે દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈન અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ આમ આદમી પાર્ટીએ સત્યેન્દ્ર જૈનના મેડિકલ રિપોર્ટને ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે મંત્રીને L5-S1 ડિસ્કમાં ઈજા થઈ હતી, જેના માટે ડોક્ટરે નિયમિત ફિઝિયોથેરાપી અને એક્યુપ્રેશર સારવારની ભલામણ કરી હતી. આમ આદમી પાર્ટીએ કહ્યું કે વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલા સત્યેન્દ્ર જૈનની મસાજ સારવારનો જ એક ભાગ છે.
બીજી તરફ ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને ટાંકીને કહ્યું કે આમ આદમી પાર્ટી ‘સ્પા એન્ડ મસાજ પાર્ટી’ બની ગઈ છે. કેજરીવાલ અત્યારે ક્યાં છુપાયા છે? જૈન નિયમો અને જેલના કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરે છે. જેલમાં આ VVIP કલ્ચર લોકશાહી માટે ખતરનાક છે. પુરાવા સાથે છેડછાડ કરવામાં આવી રહી છે કારણ કે વીડિયોમાં સત્યેન્દ્ર જૈન જેલની કોટડીમાં મુલાકાતીઓ સાથે મુલાકાત કરતા અને ચર્ચા કરતા જોવા મળે છે.
સત્યેન્દ્ર જૈનને કેજરીવાલના ‘કલેક્શન એજન્ટ’ ગણાવતા દિલ્હી બીજેપી નેતાએ કહ્યું કે તે ચોંકાવનારું છે કે કેજરીવાલ જૈન વિરુદ્ધ કોઈ પગલાં નથી લઈ રહ્યા. આ દર્શાવે છે કે અરવિંદ કેજરીવાલ પણ આમાં સામેલ છે અને તે જૈનને જેલમાં VVIP સુવિધાઓ આપી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે ભાજપે ગેરકાયદેસર વીડિયો રીલિઝ કરીને તેને ‘વીઆઈપી ટ્રીટમેન્ટ’ ગણાવી કારણ કે તે એમસીડી અને ગુજરાત બંને ચૂંટણી હારી રહી છે.
LOWEST-LEVEL OF POLITICS BY BJP!@SatyendarJain has an L5-S1 vertebrae disc injury
Doctor recommended Regular Physiotherapy/Acupressure Treatment
BJP is losing MCD & Gujarat elections so they illegally released his video, calling it ‘VIP treatment’
Here's the medical report: pic.twitter.com/wWStaoG3A8
— AAP (@AamAadmiParty) November 19, 2022
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપના આરોપો પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, જૈનને કરોડરજ્જુની ઈજાને કારણે ફિઝિયોથેરાપીની સલાહ આપવામાં આવી હતી, પરંતુ ભાજપ તેમની બીમારીની મજાક ઉડાવી રહ્યું છે. નોંધનીય છે કે દિલ્હીનો જેલ વિભાગ દિલ્હી સરકાર હેઠળ આવે છે. વીડિયોમાં સત્યેન્દ્ર જૈન તિહાર જેલમાં બેડ પર સૂતા પગની માલિશ કરતા જોવા મળે છે. 58 વર્ષીય સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગના આરોપમાં ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં છે. પાંચ મહિનાથી વધુ સમય જેલમાં હોવા છતાં કેજરીવાલે સત્યેન્દ્ર જૈનને તેમની સરકારમાં મંત્રી પદેથી હટાવ્યા નથી.
આ પણ વાંચો:તોડવામાં આવી રહ્યો છે બ્રિટિશ કાળનો કર્નાક પુલ, 27 કલાક માટે બંધ રહેશે સેન્ટ્રલ
આ પણ વાંચો: ટ્રમ્પની ટ્વિટર વાપસી: મસ્કએ લોકો પાસે માંગ્યો અભિપ્રાય, તમે પણ અહીં
આ પણ વાંચો:મોદી જેવો નેતા નહીં હોય તો દરેક શહેરમાં આફતાબ પેદા થશેઃ હિમન્ત
