Vadodara News: વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ધાવટ રોડ પર આવેલી કાનમ પેપર મિલમાં 29મી એપ્રિલના રોજ બપોરે ભીષણ આગ લાગી હતી. આ આગ પર જો ફાયરબ્રિગેડ વિભાગે ભારે જહેમતથી કાબૂ મેળવ્યો ન હોત તો તે આસપાસનું બધુ જ ખાખ કરી નાખે તેવી હતી. આ આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી, જેના કારણે વ્યાપક ગભરાટ ફેલાયો હતો. ઘટનાને પહોંચી વળવા માટે વડોદરા ફાયર વિભાગના ત્રણ ફાયર સ્ટેશનની ચાર ટીમો ઘટના સ્થળે તૈનાત કરવામાં આવી હતી. આ આગના પ્રારંભિક કારણમાં શોર્ટ સર્કિટ માનવામાં આવે છે.
કરજણ ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, વહેલી સવારે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે, કાગળ મિલમાં આગ કાબુમાં આવી ગઈ હોવાથી, તે બુઝાયા પછી પણ ફરીથી ભડકી શકે છે. ગઈકાલે સાંજે લાગેલી આગ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કાબુમાં આવી ગઈ હતી, પરંતુ આગને સંપૂર્ણપણે ઠંડી કરવા માટે છ ફાયર વાહનો હજુ પણ ઘટના સ્થળે કામ કરી રહ્યા છે.
આ ઘટનામાં આગ વધુ વિકરાળ બની અને ગંભીર વળાંક લેતાં વહીવટીતંત્રે ‘મેજર કોલ’ જારી કર્યો હતો. કરજણ ફાયર બ્રિગેડ, ભરૂચ ફાયર બ્રિગેડ, વડોદરા ફાયર બ્રિગેડ અને અંકલેશ્વર GIDC ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. આગ વધુને વધુ તીવ્ર બનતી જતી હતી, તેથી તેને કાબુમાં લેવા માટે નજીકની કંપનીઓમાંથી પાણી મંગાવવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ કરજણ ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, પીઆઈ અને કરજણ મામલતદાર સહિતની પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળે તણાવપૂર્ણ વાતાવરણ છવાઈ ગયું હતું. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ પણ વાંચો: વડોદરામાં ગોત્રી રોડ પર આવેલી ઈસ્કોન એટ્રિયા બિલ્ડિંગના ઉપરના માળે ભીષણ આગ
આ પણ વાંચો: ગોરવા મધુનગરમાં આગનું તાંડવ! ધુમાડાના ગોટેગોટા વચ્ચે પતરાં તોડીને આગ પર મેળવાયો કાબૂ
આ પણ વાંચો: રાજકોટમાં આગનું તાંડવ! 15 ઝૂંપડા અને 10 ફ્રૂટની લારીઓ બળીને ખાખ, 25 પરિવારોની છત છીનવાઈ
