Not Set/ મહારાષ્ટ્રમાં કોરાનાથી એક જ પરિવારના પાંચ સભ્યોનું મોત

એક જ પરિવારનાં પાંચના મોત

India
family મહારાષ્ટ્રમાં કોરાનાથી એક જ પરિવારના પાંચ સભ્યોનું મોત

કોરોનાની બીજ લહેરે હાહાકાર મચાવી દીધો છે.કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે .મહારાષ્ટ્રમાં કોરોનાની સૈાથી ખરાબ સ્થિતિ છે.કોરોનાના દર્દીઓને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. મહારાષ્ટ્રના નાસિકમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત નિપજ્યા છે.

મહારાષ્ટ્રના નાસિકમાં કોરોનાથી એક જ પરિવારના પાંચ સભ્યોના મોત નિપજ્યાં છે.આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ઉભો થયો છે.નાસિકમાં મમ્મી બિમાર હોવાથી તેની બે પુત્રી મુંબઇથી તેમને જોવા આવી હતી. બે દિવસ બાદ તે પુત્રીઓ પણ બિમાર પડી હતી.તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી તયાં તેમનું મોત નિપજ્યું છે.

છેલ્લા એક અઠવાડિયામાં એક જ પરિવારનાં પાંચ સભ્યો કોરોનાના લીધે મરણ પામ્યાં છે સાત સભ્યોના પરિવારમાંથી પાંચ સભ્યોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં કોરોનાની દહેશત વધી ગઇ છે લોકો કોરોનાથી ખુબ ડરી ગયાં છે.