રાજકોટમાં ગઈકાલ બપોરથી લઈને આજ સુધી છેલ્લા ૨૪ કલાકની અંદર કોરોના માં વધારે પાંચ દર્દીઓ મોતને ભેટયા હતા. કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 11,833 પર પહોંચી છે. જ્યારે રાજકોટની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 830 થાય છે.આ ઉપરાંત વિવિધ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાજા થયેલા દર્દીઓની સંખ્યાનો આંકડો ૩7 ઉપર પહોંચ્યો છે જેમને આપવામાં આવ્યો છે.
રાજકોટ શહેરને માઈક્રો કન્ટેન્ટમેન્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમજ સૌથી મહત્વની બાબત ગણી શકાય કે અત્યાર સુધીમાં 256 વિસ્તારોને અસર હેઠળ આવરી લેવામાં આવ્યા હતાં. શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 11700 શરૂ થઈ છે. જેમાંથી 10700 સારવાર પૂર્ણ કરી અને રજા આપવામાં આવી છે જ્યારે 830 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટ શહેરમાં કોરોનાનો રિકવરી rate 91.42 ટકા હોવાનું મહાનગર પાલિકાએ જાહેર કર્યું છે.
રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ હેઠળ આવરી લેવાયેલા વિસ્તારોમાં આમ્રપાલી ફાટક પાસે ગોપાલ નગર ગાયત્રી નગર મેઈન રોડ રેસકોસ પાર્ક એરપોર્ટ રોડ મારુતિ નગર એરપોર્ટ પાસે સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના વેક્સિન આપવા માટે 50 વર્ષથી ઉપરની વ્યક્તિઓ અને 50 વર્ષથી નાના ગંભીર બીમારી ધરાવતા બાળકોના ડેટા એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 1758 ટીમો દ્વારા ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ હજુ વધારે ચાર દિવસ ડેટા મેળવવામાં આવે ત્યાં સુધી સર્વે ચાલુ રહેશે.
રાજકોટમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન જાહેરનામા ભંગના 135 ગુનો નોંધી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે એ મહત્વનું છે કે કોરોના સંક્રમણ અટકાવવા માટે પોલીસ તંત્ર ખડે પગે સેવા કામગીરી કરી રહ્યું છે અને ચુસ્તપણે કાયદાનું પાલન કરાવી રહ્યું છે.રાજકોટ ઉદય આનંદ હોસ્પિટલ માં અગ્નિ કાંડ બાદ ફાયર વિભાગ હરકતમાં આવ્યું હોય ફાયર સેફટી મામલે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં 60 ઇમારતો દ્વારા એન.ઓ.સી રીન્યુ કરવામાં આવ્યા નથી જેથી તેમને નોટિસ ફટકારવામાં આવી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…