G20 સમિટનું આયોજન 9 અને 10 સપ્ટેમ્બરે દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમમાં કરવામાં આવશે. જેમાં અનેક દેશોમાંથી મહેમાનો હાજરી આપવા દિલ્હી પહોંચશે. દિલ્હીને પરિષદની દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.વિશેષ મહેમાનોને ભારતીય સંસ્કૃતિથી પ્રેરિત કલાકૃતિઓ સાથે ચાંદીના વાસણોમાં ભોજન પીરસવામાં આવશે.
જયપુર સ્થિત મેટલવેર કંપનીએ જણાવ્યું છે કે, અહીં જી-20 સમિટમાં ભાગ લેનારા રાજ્યોના વડાઓ અને અન્ય વિશ્વ નેતાઓને ભારતના સાંસ્કૃતિક વારસાથી પ્રેરિત આર્ટવર્ક સાથે ખાસ ચાંદીના વાસણો પર ભોજન પીરસવામાં આવશે.આઇરિસ જયપુરે મંગળવારે નવી દિલ્હીમાં તેના કેટલાક ચાંદીના વાસણોનું પૂર્વાવલોકન કર્યું હતું અને જણાવ્યું હતું કે તેને વિવિધ લક્ઝરી હોટેલ્સ દ્વારા મેડ-ટુ-ઓર્ડર ટેબલવેર અને ચાંદીના વાસણો સપ્લાય કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત આનો ઉપયોગ વિદેશી મહેમાનો હોટલોમાં તેમના રોકાણ દરમિયાન ભવ્ય ડિનર અને લંચ માટે કરશે.G-20 સમિટના અવસર માટે 200 કારીગરો દ્વારા લગભગ 15,000 ચાંદીના વાસણો બનાવવામાં આવ્યા છે. તે અને તેના પિતા રાજીવ પબુવાલ મેટલવેર ફર્મ ચલાવે છે.