દુનિયાના સૌથી મોટા જંગલ અમેઝોન અને ધરતીના ફેફસા કહેવાતા આ વિસ્તારને લઇને ચૌકાવનારી જાણકારીઓ સામે આવી છે. જો કે રિસર્ચમાં સામે આવ્યુ છે કે આવતા 43 વર્ષોમાં એટલે કે વર્ષ 2064 સુધીમાં આ જંગલ સંપુર્ણ રીતે નષ્ટ થઇ જશે.અને તેનું સૌથી મોટું કારણ હશે ક્લાઇમેટ ચેન્જ, આગ અને વૃક્ષોનું નિકંદન. આવો જોઇએ રીપોર્ટમાં શું કહેવામાં આવ્યુ છે.
અમેઝોન દુનિયાનું સૌથી મોટું વર્ષાવન છે. દુનિયાની 20 % ઓક્સિજન અહીયાથી જ મળે છે. અને એટલા માટે તેને પૃથ્વીના ફેફસા પણ કહેવામાં આવે છે. આ જંગલ 2.1 મિલિમિલીયન વર્ગમીલમાં ફેલાયેલું છે. દક્ષિણી અમેરીકાથી બ્રાઝિલ સુધી ફેલાયેલા આ જંગલ વિશે કહેવામાં આવે છે કે જો આ કોઇ દેશ હોત તો તે દુનિયાનો 9 મો સૌથી મોટો દેશ હોત. આ જંગલને લઇને વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ જંગલ એક સમય પછી સંપુર્ણ રીતે સૂકુ મેદાન બની જશે. અહીની હરિયાળી ખાલી મેદાનોમાં ફેરવાઇ જશે.
યુનિવર્સીટી ઓફ ફ્લોરિડાના ભૂગોળ વૈજ્ઞાનિક રોબર્ટ વોકર દાયકાઓથી અમેઝોન પર અભ્યાસ કરી રહ્યા છે. 2064માં અમેઝોનનું જંગલ સમાપ્ત થવાની ભવિષ્યવાણી કરવા માટે તાજેતરમાં તેમણે અભ્યાસ કરેલા આંકડાઓને એકઠા કર્યા છે.થેમાં જણાવાયું છે કે કેવી રીતે જંગલોમાં સૂકા મેદાનો, આગ લાગવાની ઘટનાઓ, વૃક્ષોનું છેદન જેવા અલગ અલગ કારણોને લીધે જંગલની બર્બાદી નક્કી છે.
ડિસ્કવર મેગેઝીનમાં પ્રકાશિત રિપોર્ટ પ્રમાણે અમેઝોનની સ્થિતી ઘણી ખરાબ થઇ ચૂકી છે. 2004થી 2012ની વચ્ચે વૃક્ષો કપાવવાની ઘટનાઓ ઓછી હતી. પણ2020માં બ્રાઝિલના અમેઝોન જંગલમાં દાયકામાં સૌથી વધારે વૃક્ષો કાપવામાં આવ્યા છે. 2020૦ના પહેલાં ચાર મહિના દરમિયાન બ્રાઝિલમાં 1202 વર્ગ કિલોમિટર જંગલને નષ્ટ કરી દેવામાં આવ્યુ છે.
2018માં વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યુ હતુ કે વર્ષાવન પોતાના વનક્ષેત્રનો ૨૦થી ૨પ ટકા હિસ્સો ગુમાવે તે પહેલાં તેને સંભાળી શકાય છે. તેના પહેલા કે આ ઇકોસિસ્ટમ હાલની પરિસ્થિતીને લીધે ખરાબ થઇ જાય. આવુ એટલા માટે થાય છે કારણ કે વૃક્ષો કપાવવાને લીધે હવામાન બદલાઇ જાય છે. જે રીતે વૃક્ષો હવામાંથી ભેજને ખેચે છે. જો વૃક્ષો કપાઇ જશે તે તે ભેજનું પ્રમાણ ખરાબ થઇ જશે.
૨૦૨૦માં રિસર્ચમાં કહેવામાં આવ્યુ છે કે અત્યાર સુધીમાં સમગ્ર જંગલના વિસ્તારમાંથી 11 ટકા ભાગમાં વૃક્ષોનું નિકંદન નિકળી ચૂકયુ છે. અને બાકીનો 17 ટકા ભાગ પણ આ પ્રક્રિયામાંથી પસાર થઇ રહયો છે. એક રીસર્ચમાં સામે આવ્યુ છે કે જે રીતે અમેઝોનના જંગલોને કાપવામાં આવી રહયા છે તે દુનિયાના સૌથી મોટા જંગલ સવાના વિસ્તારમાં ફેરવાઇ શકે છે.તમને જણાવી દઇએ કે સવાના વિસ્તારમાં મોટા વૃક્ષો હોતા નથી. નાના-નાના છોડની સાથે ઘાસનું જંગલ હોય છે.અને આ વિસ્તારની ટેકનોલોજી પણ બદલાઇ શકે છે.
જળવાયું પરિવર્તન તેમાં મહત્વપુર્ણ ભૂમિકા નિભવે છે. એક રીસર્ચમાં એવું પણ સામે આવ્યું છે કે પશ્ચિમિ અમેઝોન બેસીનના કેટલાક ભાગોમાં સામાન્યથી વધારે વરસાદ થઇ રહયો છે.1982 પછી પ્રતિવર્ષ અહી સાત ઇંચથી વધારે વરસાદ થઇ રહયો છે.
પણ પુર્વથી દક્ષિણ સુધી જ્યાં પણ વૃક્ષો કપાઇ રહયા છે. ત્યાં દુષ્કાળની સ્થિતી બની શકે છે. જ્યાં શુષ્ક હવામાન સાત મહિના માટે હોય છે. અહી થોડો વરસાદ થાય છે અને તે પ્રતિવર્ષ એક દિવસ વધી રહ્યો છે. અને આ પ્રકારની ઘટનાની સુકા વિસ્તારો સુકા જ રહે છે.કે પછી ભેજ વાળા વિસ્તારો ભેજવાળા જ રહે છે આ સંકત એ વાતનો ઇશારો કરે છે કે જળવાયું પરિવર્તન કેવુ હશે.
જ્યારે કોઇ સ્થળ પર ભયંકર દુષ્કાળ જેવી સ્થિત બની છે તો વૃક્ષો પોતાના પાંદડાઓ પણ છોડી દે છે. અને કેટલાક મરી પણ જાય છે. રિસર્ચરએ પોતાના એક રીપોર્ટમાં લખ્યુ છે કે એક જંગલને આવી સ્થિતીમાંથી બહાર આવવા માટે ચાર વર્ષનો સમય લાગે છે.
વોકર જણાવે છે કે 2005માં આવી સ્થિતી શુષ્ક હવામાનની સરખામણીમાં 20 થી 30 દિવસ સુધી ચાલી હતી. વોકર તેમની ભવિષ્યવાણી પણ કોન્ફિડેન્ટ છે.