પૂર્વ IPS સંજીવ ભટ્ટ પોતાનાં ફરમાવામાં આવેલી આજીવન કેદની સજા સામે HCનાં શરણેે ગયા છે. પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટે કોર્ટ દ્વારા પોતાને આપવામા આવેલી આજીવન કેદની સજાને પડકારતી અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી છે. સંજીવ ભટ્ટ દ્વારા કરવામા આવેલી એપીલની સુનાવણી આગામી દિવસોમાં હોઇકોર્ટ દ્વારા હાથ ઘરવામા આવશે
આપને જણાવી દઇએ કે પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને જામનગર સેશન્સ કોર્ટ દ્વારા જામ-જોધપુર કસ્ટોડિયલ ડેથ કેસ મામલે ચુકાદામાં દોષિત માની અને હાલમાં જ આજીવન કેદ ફટકારી હતી. જો કે, સેસન્સ કોર્ટ દ્વારા સજા પામનાર તમામ આરોપીને પોતાના બચાવમાં ઉપલી અદાલતમાં જવા માટે અને અપીલ કરવા માટે સમય આપવામા આવ્યો હતો.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન