કલોલમાં અંબિકા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ તરફ જતી ST બસની ટક્કરે પાંચ મુસાફરોના મોત નિપજ્યા હતા.અંબિકા બસ સ્ટોપ પર ઉભેલા પેસેન્જર માટે ST બસ કાળ બની આવી મોતને ઘાટ ઉતાર્યા હતા.તેમજ ST બસે અન્ય બસને ટક્કર મારી હતી જેના કારણે અન્ય મુસાફરો પણ ઈજાગ્રસ્ત થયા હતા.ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર, ખાનગી બસે એસટી બસને ટક્કર મારી હતી. જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસનો ચાલક ત્યાંથી તક મળતા જ ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં 5 વ્યક્તિ મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. જ્યારે અન્ય કેટલાક ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માત સમયે ત્યાં ઉભેલા મુસાફરો એસટીની અડફેટે આવી ગયા હતા. એસટીનું તોતિંગ વ્હીલ તેમની પર ફરી વળતાં પાંચ મુસાફરોનો મોત નીપજ્યાં હતા જ્યારે સાત જેટલા મુસાફરો ઘાયલ થતાં તેમને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મુસાફરોને હોસ્પિટલ મોકલવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસને જાણ થતાં પોલીસ પહોંચી હતી અને ટ્રાફિક પૂર્વવત કરાવી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
આ પણ વાંચો:રોડ ક્રોસ કરતી મહિલાઓને ઇકો ગાડીએ રીતસર હવામાં ફંગોળી, જુઓ CCTV
આ પણ વાંચો:સુરતમાં દુષ્કર્મ પીડિતાને અમાનુષિત ત્રાસ આપવા મામલે બે મહિલાની ધરપકડ
આ પણ વાંચો:કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું હવે નવું ઠેકાણું હશે સાબરમતી જેલ
આ પણ વાંચો:રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમમાથી વધુ એક કિશોરીને વિદેશના દંપતીએ દત્તક લીધી
આ પણ વાંચો:પેપરલેસ પરીક્ષા લેતી ગુજરાતની સૌપ્રથમ યુનિવર્સિટી