અમદાવાદના મેમનગર વિસ્તારમાં ચોથા માળેથી ઝંપલાવીને મહિલાએ આપધાત કર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાની જાણ થતા યુનિવર્સીટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આત્મહત્યા પાછળનું કારણ શોધવા તજવીજ હાથ ધરી હતી.
હેમાબેન લહેરીભાઈ ભાનુશાળી નામની 40 વર્ષીય મહિલાએ મેમનગરનાં શ્યામસુંદર એવન્યૂના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી હતી. જોકે આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી, યુનિવર્સીટી પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.