Accident/ સિદ્વપુર હાઇવે પર એસટી બસ પલટી જતા ગમખ્વાર અકસ્માત 1 મુસાફરનું મોત,20ની હાલત ગંભીર,મૃત્યુઆંક વધી શકે છે

એસટી બસ પુર ઝડપે દોડી રહી હતી અને પલટી ખાઇ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બસમાં 40 મુસાફરો સવારી કરી રહ્યા હતા,

Top Stories Gujarat
13 12 સિદ્વપુર હાઇવે પર એસટી બસ પલટી જતા ગમખ્વાર અકસ્માત 1 મુસાફરનું મોત,20ની હાલત ગંભીર,મૃત્યુઆંક વધી શકે છે
  • પાટણમાં સરકારી એસટી બસને નડ્યો અકસ્માત
  • બ્રાહ્મણવાડા નજીક સિધ્ધપુર હાઈવે પર બની ઘટના
  • પાલનપુરથી છોટાઉદેપુર જઈ રહેલી બસનો અકસ્માત
  • 40 મુસાફરો ભરેલી બસે પલટી મારી
  • 20થી વધુ મુસાફરોને પહોંચી ઇજાઓ
  • ઇજાગ્રસ્તોને સિધ્ધપુર સિવિલ હોસ્પિ.માં કરાયા દાખલ
  • અકસ્માતમાં એક મુસાફરનું મોત થયુ હોવાનો અહેવાલ
  • હજુ મૃત્યુ આંક વધે તેવી શક્યતા

ગુજરાતમાં અકસ્માતના કેસો વધી રહ્યા છે,જે ચિંતાજનક બાબત છે. પાટણમાંથી અકસ્માતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાટણના બ્રાહ્મણવાડા પાસે સિધ્ધપુર હાઇવે પાસે સરકારી એસટીને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ એસટી બસ પુર ઝડપે દોડી રહી હતી અને પલટી ખાઇ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બસમાં 40 મુસાફરો સવારી કરી રહ્યા હતા,આ બસ પલટી જતા આજુબાજુના લોકો મદદે દોડી આવ્યા હતા અને સત્વરે પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં એક મુસાફરનું મોત નિપજ્યું છે. 20થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.તેમને નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં મૃત્યુંઆંક વધવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે આ બસ પાલનપુરથી છોટાઉદેપુર જઇ રહી હતી અને અકસ્માત નડયો હતો.