સ્થાનિક સ્વરાજની ચુંટણી પૂર્ણ થયા બાદ રાજ્ય ચુંટણી પંચ દ્વારા ગાંધીનગર મનપા ની ચુંટણી જાહેરાત કરવામાં આવી છે . ત્યારે ગાંધીનગર મનપા ની મુદત 5 મી મી ના રોજ પૂર્ણ થઈ રહી છે. રાજ્ય ચુંટણી પંચ દ્વારા 18 એપ્રિલના રોજ ગાંધીનગર મનપા ની ચુંટણી જાહેર કરવામાં આવી છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી પૂર્ણ થયા બાદ ગાંધીનગર મનપા ની ટર્મ 5 મે પૂર્ણ થઈ રહી છે. ત્યારે ગાંધીનગર મનપા ના 11 વોર્ડની 44 બેઠકો પર ચુંટણી પંચ દ્વારા ચુંટણીની જાહેરાત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે 18 એપ્રિલના રોજ ગાંધીનગર મનપાની ચુંટણી યોજાશે. જેની મતગણતરી 20 એપ્રિલના રોજ કરવામાં આવશે.