ગીર સોમનાથ,
ગીર સોમનાથના કલેકટર કચેરી ખાતે આત્મવિલોપન કરવા આવેલા દિવ્યાંગની પોલીસે અટકાયત કરી છે. ગીર ગઢડાના વતની વિનોદ મસરી પોતે દિવ્યાંગ હોવાને કારણે ગામની સીમની ગૌચરની જમીન પર પેશકદમી વાવેતર કરતો હતો.
જે જમીન સરકાર તેને પોતાને નામે કરી દે તેવી માંગ કરી હતી. પોતાને દિવ્યાંગ હોવાને કારણે તેની પાસે આજીવિકા માટે બીજુ કોઈ સાધન ન હોવાને કારણે આ પગલુ ભર્યું હતું. હાલ તો પોલીસે જિલ્લા કલેકટર કચેરીના દરવાજાથી આત્મ વિલોપન કરનારની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હથ ધરી છે.