સુરત/ ભેસ્તાનમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાયો, 400 કટ્ટા જેટલું અનાજ કરાયુ કબ્જે

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી એક દુકાનની અંદર થી સરકારી અનાજનો જથ્થો સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો.

Gujarat Surat
a 122 9 ભેસ્તાનમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાયો, 400 કટ્ટા જેટલું અનાજ કરાયુ કબ્જે

અનાજની દુકાનમાંથી કબ્જે કરવામાં આવેલા અનાજને મામલે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપીને રજૂઆત કરવામાં આવી છે કે, જે દુકાન પરથી સરકારી અનાજનો જથ્થો પકડાયો હોય તે દુકાનદાર અને માલ લઈ જનાર આ તમામ સામે પોલીસ ફરિયાદ કરી તેની ધરપકડ કરવામાં આવે.સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી એક દુકાનની અંદરથી સરકારી અનાજનો જથ્થો સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. 400 કટ્ટા જેટલું અનાજ દુકાનમાં પડેલું હતું. આ અનાજનું વિતરણ ગરીબ લોકોને કરવાનું હોય છે પરંતુ તે અનાજ દુકાનમાંથી મળી આવતા તેને કબ્જે કરવામાં આવ્યુ હતુ..

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી એક દુકાનની અંદર થી સરકારી અનાજનો જથ્થો સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. 400 કટ્ટા જેટલું અનાજ દુકાનમાં પડેલું હતું. આ અનાજનું વિતરણ ગરીબ લોકોને કરવાનું હોય છે પરંતુ તે અનાજ દુકાનમાંથી મળી આવતા કોંગ્રેસ દ્વારા આ મામલે જિલ્લા કલેકટરને આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી કે, જે દુકાન પરથી સરકારી અનાજનો જથ્થો પકડાયો હોય તે દુકાનદાર અને માલ લઈ જનાર આ તમામ સામે પોલીસ ફરિયાદ કરી તેની પાછળ હેઠળ ધરપકડ કરવામાં આવે

જિલ્લા કલેકટરને રજૂઆત કરવા આવેલા કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે,  કેન્દ્ર સરકાર તરફથી વિનામૂલ્યન PMGKAY ઘઉં તેમજ ચોખા સપ્ટેમ્બર-2022 સુધી આપવામાં આવનાર છે. તેમજ રાજય સરકાર તરફથી પણ જથ્થો આપવામાં આવે છે. પરંતુ દુકાનદાર અને અનાજ માફીયાઓની મિલીભગતને કારણે રેશનકાર્ડ ધારકોને વ્યાજબી ભાવની દુકાન પરથી જથ્થો ઓછો આપવામાં આવે છે. તેમજ દુકાનદાર ધ્વારા અનાજ માફીયાઓની મિલીભગતથી જથ્થો એક સાથે સગેવગે કરવાની ફરીયાદ પણ સામે આવે છે.

જિલ્લા પુરવઠા અધિકારી તરીકે કાળાબજારી રોકવાની જેમની જવાબદારી છે તેઓ તદ્દન નિષ્ફળ નિવડયા છે.કોંગ્રેસ દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે, સમગ્ર અનાજની કાળા બજારીમાં સમગ્ર પુરવઠા તંત્ર સામેલ છે અથવા આંખ આડા કાન કરીને અનાજ માફિયાઓને બચાવે છે.

કોંગ્રેસ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી સુરત શહેરની જાગૃત જનતા તરફથી સુરતના અલગ અલગ ઝોનમાંથી અનાજની કાળા બજારી પકડી છે. ત્યારબાદ પોલીસ દ્વારા અનાજનો જથ્થો પકડી કેસ કરવામાં આવે છે. હાલમાં પણ બે દિવસ પહેલા જ લિંબાયત વિસ્તારમાંથી 400 કટ્ટા સરકારી અનાજનો જથ્થો પકડવામાં આવ્યો છે. જેથી હાલ વ્યાજબી ભાવની દુકાન ઉપર જથ્થો વિતરણ કરવામાં આવે છે. તે પૂરવઠાની પુરવઠા નિરીક્ષક તેમજ અન્ય સ્ટાફની નિમણુંક કરી જથ્થો કલેકટરની અધ્યક્ષતા હેઠળ વિતરણ થાય તેવી વ્યવસ્થા કરવા વિનંતી છે.

કોંગ્રેસની માગણી છે કે, છેલ્લા બે વર્ષમાં કોરોનાની મહામારી દરમિયાન આજદિન સુધી અલગ અલગ ઝોનમાંથી જે પણ દુકાન પરથી અનાજનો જથ્થો પકડાયો છે. તે તમામ દુકાનદાર અને માલ લઈ જનાર સામે પોલીસ ફરીયાદ કરી તેઓની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવે.

આ પણ વાંચો : જામનગરમાં પ્રથમ કોપી કેસ, ગણિતના પેપરમાં ગેરરીતિનો નોંધાયો કેસ

આ પણ વાંચો :સથરા ગામ બોર્ડની પરીક્ષા દરમિયાન મધમાખીઓએ 15 વિદ્યાર્થીઓને માર્યો ડંખ

આ પણ વાંચો :વડોદરાથી મુંબઈની ફ્લાઈટમાં સાત વર્ષની અનન્યાએ કરી એકલી મુસાફરી, જુઓ વીડિયો 

આ પણ વાંચો :રાજ્યમાં 13000 થી વધુ સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ નથી : શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી