ભારત અને બાંગ્લાદેશે બુધવારે નવી પેસેન્જર ટ્રેન સેવા મિતાલી એક્સપ્રેસ શરૂ કરી જેથી રેલવે દ્વારા લોકો-થી-લોકોના સંપર્કને વધુ મજબૂત કરી શકાય. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી પેસેન્જર ટ્રેન સેવાને રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને તેમના બાંગ્લાદેશી સમકક્ષ મોહમ્મદ નુરુલ ઇસ્લામ સુજાન દ્વારા ડિજિટલી ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.
ગયા વર્ષે 27 માર્ચે બંને દેશોના વડા પ્રધાનો દ્વારા તેનું ડિજિટલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોવિડ-19 પ્રતિબંધોને કારણે ટ્રેન સેવા શરૂ થઈ શકી ન હતી.આ પ્રસંગે વૈષ્ણવે જણાવ્યું હતું કે મિતાલી એક્સપ્રેસ બે પડોશી દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે વધુ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.
🇮🇳 & 🇧🇩 Towards shared heritage, shared present and shared future!
Flagged off “Mitali Express” between New Jalpaiguri (India) and Dhaka (Bangladesh) with His Excellency Md Nurul Islam Sujan. pic.twitter.com/CYlVK0Jzva
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 1, 2022
ટ્રેન અઠવાડિયામાં બે વાર ચાલશે રવિવાર અને બુધવારે સવારે 11.45 વાગ્યે ન્યૂ જલપાઈગુડીથી પ્રસ્થાન કરશે, અને તે જ દિવસે રાત્રે 10.30 વાગ્યે ઢાકા પહોંચશે. જયારે સોમવાર અને ગુરુવારે રાત્રે 9.50 વાગ્યે ઢાકાથી રવાના થશે અને મંગળવાર અને શુક્રવારે સવારે 7.15 વાગ્યે ન્યૂ જલપાટઈગુડી પહોંચશે. આ ટ્રેન 595 કિલોમીટરનું અંતર કાપશે, જેમાંથી 61 કિલોમીટર ભારતમાં છે.
નોંધનીય છે કે આ નવી ટ્રેન ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બે હાલની પેસેન્જર ટ્રેન સેવાઓ ઉપરાંત કોલકાતા-ઢાકા-કોલકાતા મૈત્રી એક્સપ્રેસ અને કોલકાતા-ખુલના-કોલકાતા બંધન એક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક). ઉપરોક્ત બે ટ્રેન સેવાઓ કોવિડ પ્રતિબંધોને કારણે સ્થગિત કરવામાં આવી હતી અને 29મી મેના રોજ ફરી શરૂ કરવામાં આવી છે.