અમદાવાદ,
દિવસે દિવસે આગની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વધુ એકવાર અમદાવાદના નવરંગપુરામાં બહુમાળી વિસ્તારમાં આગ ભડકી હતી. ત્યારે આગની ઘટના બનતા તાત્કાલિક ફાયર બિગ્રેડ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.
મહત્વનું છે કે આ આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે. નવરંગપુરા પોલીસ સ્ટેશન સામે આવેલા વિવાન ફ્લેટ ૩માં ઉપરન માળે આગ લાગી છે. ત્યારે ફાયરબ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.
ઉલ્લેખનીય છે કે, નવરંગપુરા પોલીસ સ્ટેશન સામેની આ ઘટના બની હતી. ત્યારે આગ લાગવાનું કારણ અકબંધ હોવાથી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.