અમદાવાદ
મહિલા રાષ્ટ્રીય અધિવેશનમાં સ્મૃતિ ઇરાની હાજર રહ્યા હતા. સ્મૃતિ ઇરાનીએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, 9 કરોડ મહીલાઓને પ્રધાનમંત્રી પોષણક્ષમ યોજના હેઠળ લાભ મળ્યો છે. ભાજપના શાસનમાં બળાત્કારીઓને ફાંસી થાય છે.
બળાત્કારીઓને ફાંસી થાય તે માટેનો કાયદો ભાજપની સરકાર લાવી છે. 2019ની ચૂંટણીના જંગમાં મહિલાઓ સત્યની સાથે લોકો સુધી જશે જ્યારે કોંગ્રેસ પર આરોપ કરતાં કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં મહિલાઓ પર બળાત્કાર થાય છે અને કોંગ્રેસ માત્ર જુઠ્ઠાણા જ ફેલાવે છે.
પ્રદેશ ભાજપ મિડિયાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રીય અધિવેશનના સમાપન સમારોહમાં વડાપ્રધાન મોદી પ્રેરક માર્ગદર્શન આપશે. રાષ્ટ્રીય મહિલા અધઘિવેશનમાં દેશભરમાંથી પહોંચેલી 5000થી વધુ મહિલા કાર્યકરો અને સમગ્ર રાજ્યમાંથી પહોંચેલી 20,000થી વધુ મહિલા કાર્યકરો આ ખુલ્લા અધિવેશનમાં ભાગ લઇ વડાપ્રધાનનું માર્ગદર્શન મેળવશે.
ભાજપ મહિલા મોરચાના આ રાષ્ટ્રીય અધિવેશનમાં પક્ષના સંગઠનના વિષય, નવા ભારતના નિર્માણમાં મહિલાઓની ભૂમિકા, આગામી લોકસભા ચૂંટણીમાં મહિલાઓની ભૂમિકા કેન્દ્રસ્થાને, ચૂંટણીલક્ષી તૈયારીઓ અને આયોજન સહિતના વિષયોને લઇ વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે.