અરવલ્લી
અરવલ્લીના બાયડ તાલુકાના સાઠંબા નજીક ચાલી રહેલા ક્વોરી ઉદ્યોગને લીધે આજુબાજુમાં રહેતા લોકો ઘણા વર્ષોથી હાલાકી ભોગવી રહ્યા છે..ત્યારે આ મામલે સંજય સિંહ સોલંકી નામના યુવકે આત્મવિલોપનની અરજી આપી છે.
મળતી માહિતી મુજબ મોટા પ્રમાણમાં ક્વોરી ઉદ્યોગ ચાલે છે..જેના કારણે આજુબાજુના નજીકના વિસ્તારમાં આવેલા ગામોના મકાનોમાં તિરાડો પડવી, ડસ્ટ ઉડવો, જેના કારણે ખેતી પણ થઈ શકતી નથી.
તેમજ અવારનવાર થતા બ્લાસ્ટીંગના કારણે લોકો ઘણા વર્ષોથી હાલાકી ભોગવી રહ્યા છે.. જો ગ્રામજનોને દિન દસમાં ન્યાય નહીં મળે તો યુવક કલેક્ટર કચેરી આગળ આત્મવિલોપન કરશે તેવી ચીમકી પણ આપી છે…