બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લામાં 15 જેટલા ગૌવંશના મોતનો બનાવ સામે આવ્યો છે. આટલી મોટી સંખ્યામાં અને એકી સાથે ગૌવંશના મોતથી જીવદયા પ્રેમીઓમાં તીવ્ર નારાજગી જોવા મળી રહી છે.
જોકે આ ગૌવંશના મૃતદેહો રેલવે ટ્રેકની બંને બાજુએથી મળી આવ્યા છે. તેથી આ ગૌવંશના મોત ટ્રેનની અડફેટમાં આવી જવાથી થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
આ મૃતદેહો સોડિયા અને સોતમલા ગામની વચ્ચેથી પસાર થતા રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યા છે. ગૌવંશના મોતથી જીવદયા પ્રેમીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે. રેલવે પોલીસ દ્વારા ગૌવંશના મૃતદેહોને હટાવવાની કામગીરી કરાવવામાં આવી હતી.