બનાસકાંઠા,
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે કેનાલો બનાવવામાં આવી છે. જેમાની કેટલીક કેનાલો શોભાના ગાંઠિયા સમાન સાબિત થઇ છે.
સુઇગામ તાલુકાના ગોલપ નેસડા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં છેલ્લા ઘણા સમયથી પાણી ન હોવાનુ ખેડૂતો દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે.
ચતરપુરા ગોલપનેસડાના ખેડૂતોને પાણી મળી રહે તેના માટે લાખો રૂપિયા ખર્ચે કેનાલ બનાવવામાં આવી છે પરંતુ કેનાલ બાવળોમાં છે કે પછી બાવળોમાં કેનાલ છે તે જ ખબર નથી પડતી.
કેનાલમાં ક્યારેક પાણી આવે છે પાણી આવતાંની સાથે જ ઠેર ઠેર મોટા મોટા ભુવા પડે છે. ભૂવા પડતા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળે છે. જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન ભોગવવા વારો આવ્યો છે.