બનાસકાંઠા,
બનાસકાંઠા થરાદની મુખ્ય નર્મદા નહેરમાં ત્રણ સંતાનોના પિતાએ મોતની છલાંગ લગાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણકારી મળતાની સાથે જ નગરપાલિકાના તરવૈયાએ,3 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતક દિયોદરના લીંબાઉ ગામનો હોવાનું જાણવા મળ્યું છે.મળતી વિગતો મુજબ યુવકે ઢીમા પુલ નજુક રાત્રીના સમયે નહેરમાં ઝંપલાવીને જીવન ટુંકાવ્યું હતું..