ભરૂચ,
હાલ સમગ્ર રાજ્યમાં વ્રતનો મહિમા ચાલી રહ્યો છે. છોકરીઓના ગૌરી વ્રત થોડાક દિવસો પહેલા જ પૂર્યા થયા છે. આ વ્રતમાં છોકરીઓ પોતાના હાથમાં મહેંદી મૂકી અવનવા શોખ કરતી હોય છે, ત્યારે ભરૂચની એંજલ શાળાનું તુઘલખી ફરમાનથી વિવાદ સર્જાયો હતો.
આ વિવાદ અલુણાવ્રત રાખનાર બાળકીઓના હાથની મેંહદીનો કલર ન જાય ત્યાં સુધી શાળાએ ન આવવાનું ફરમાનથી સર્જાયો હતો.ત્યારે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના નિવેદનને આધારે આ શાળા ઉપર સખ્ત પગલાં લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ વિવાદથી હિન્દૂ ધર્મની ભાવનાઓને પણ ઠેસ પહોંચી હતી અને વાલીઓમાં પણ ભારે રોષની લાગણી ફેલાઇ હતી..