ભાવનગર,
ભાવનગરમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ભાવનગર-અમદાવાદ હાઈવે પર સિમેન્ટ ભરેલી ટ્રક પલટી હતી. જેમાં 25 જેટલા શ્રમિકો પણ સવાર હતા.
જે બાવળિયારી પાસે પલટતા શ્રમિકો દબાઈ ગયા હતા. જેમાંથી 19 લોકોના મોત થઇ ગયા છે. જ્યારે 6 જેટલા શ્રમિક ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મૃતકોમાં 3 બાળક, 12 મહિલા અને 4 પુરુષોનો સમાવેશ થાય છે. આ તમામ શ્રમિકો તળાજાના સરતાનપર અને આસપાસના ગામના હતા..ત્યારે હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.