કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે સોમવારે કહ્યું હતું કે મીડિયા વ્યૂહરચના દ્વારા પડદો મૂકીને સરહદ પર ચીનની વ્યૂહાત્મક સજ્જતાની વાસ્તવિકતાને દબાવી શકાતી નથી.
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે પીઆર સંચાલિત મીડિયા વ્યૂહરચના દ્વારા ચીનની ભૌગોલિક તેમજ રાજનૈતિક રણનીતિનો વાસ્તવિક સામનો કરી શકાતો નથી. ભારત સરકાર ચલાવતા લોકો આ સાદી અને સરળ બાબતને સમજી શકતા નથી.
આ સાથે કોંગ્રેસના પૂર્વ પ્રમુખે ડોકલામ વિસ્તારમાં ચીની આર્મીના નિર્માણ કાર્યની સેટેલાઇટ તસવીર પણ પોસ્ટ કરી છે. આ સાથે તેમણે લખ્યું કે ચીનની આ વ્યૂહરચના ભારત માટે જોખમી છે અને નક્કર વ્યૂહરચના વિના તેને ઘટાડી શકાતી નથી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….