- નર્મદા ડેમની સર્વોચ્ચ જળસપાટી 138.62 મીટર
- હાલ નર્મદા ડેમ 12 કલાક 7 સે.મી.નો ઘટાડો
- ડેમમાં 4 લાખ 36 હજાર ક્યુસેક પાણીની આવક
- હાલ નર્મદા ડેમના 23 દરવાજા ખુલ્લા મૂકાયા
- ડેમમાંથી 4 લાખ 80 હજાર ક્યુસેક પાણી છોડાયું
- કેવડિયાનો ગોરા બ્રિજ 8 દિવસથી રાહદારીઓ માટે બંધ
- હાલ નર્મદા ડેમમાં 5570 MCM લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો
ગુજરાતની જીવાદોરી સમો નર્મદા નદી પર પ્રસ્થાપિત સરદાર સરોવર પોતાની ઐતિહાસીક સપાટી 138.62 મીટર પર પહોંચા બાદ હાલ નર્મદા ડેમના 23 દરવાજા ખુલ્લા મૂકાયા છે. જોકે, હાલ પણ ઉપરવાસમાં ભારે વરસાદ અને મધ્ય પ્રદેશનાં નર્મદા નદી પર બનેલા ડેમ દ્વારા વિપુલ માત્રામાં પણી છોડવામાં આવતું હોવાથી રોજની અંદાજે 4 લાખ 36 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્આયું હોવાનું નોંધવામાં આવી રહી છે.
સાથે સાથે નર્મદા, સરદાર સરોવરનાં 23 દરવાજા ખોલવાથી અને પાણીની આવક પહેલાનાં પ્રમાણમાં થોડી ઘટવાથી ડેમની જળસપાટીમાં થોડા અંશે ઘટાડો જોવામાં આવશે. ડેમનાં જળસ્તરમાં હાલ 12 કલાકમાં 7 સેન્ટીમીટરનો ઘટાડો નોંધવામાં આવી રહયો છે. ડેમમાંથી અવિરત છોડવામાં આવતું હોવાથી કેવડિયાનો ગોરા બ્રિજ 8 દિવસથી રાહદારીઓ માટે બંધ કરી દોવામાં આવ્યો છે.
નર્મદા હાલ બેં કાંઠે વહી રહી હોવાથી કાંઠા વિસ્તારનાં અને ખાસ કરીને ભરૂચ શહેરને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, હાલ નર્મદા ડેમમાં 5570 MCM લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. અને કાલે દેશનાં PM મોદી કેવડીયા કોલોની ખાતે મા નર્મદાની મહાઆરતી કરી નીરને વધામણા પણ કરવાનાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન