બોટાદમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ આ અકસ્માત સાળંગપુર હાઇવે પાસે સર્જાયો હતો. જો કે સારંગપુર હાઇવે પાસેથી એક કાર પસાર થઇ રહી હતી. આ દરમિયાન કારે પલ્ટી મારી હતી અને રસ્તાની નીચે નાળામાં ખાબકી હતી.
આ અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ જેટલા લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.
ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. બાદમાં વધુ તપાસ હાથ ધરી હતી.