છોટાઉદેપુરમાં સવારે એસટી બસ ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.બસમાં સવાર 13 જેટલા મુસાફરો ને ઇજા પહોચી હતી.ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.લોકો દ્વારા પોલીસને જાણ કરાઈ હતી.પોલીસ ધટના સ્થળે પહોચી હતી
મળતી માહિતી અનુસાર આ બસ હળવદથી છોટાઉદેપુર આવી રહી હતી તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યા પછી બસ રોડની નીચે ઉતરી ગઈ હતી અને ઝાડ સાથે અથડાઈ ગઈ હતી.
અકસ્માતમાં બસને સામાન્ય નુકસાન થયું છે જો કે, બસની અંદર સવાર 13 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. અકસ્માત સર્જાયા બાદ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાજ્યમ,અ અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. દિવસે ને દિવસે અકસ્માતની ઘટના વધી રહી છે અને સાથે સાથે અકસ્માતમાં માસૂમ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડી રહ્યો છે. તેમ છતાં પણ અકસ્માતની ઘટના અટકવાનું નામ નથી લઇ રહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.