વડોદરા,
31 ઓક્ટોબરે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકાપર્ણ કરશે, સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત સરદાર સાહેબના એકતાના ભાવને જનજન સુધી પહોંચાડવા માટે રાજ્યભર માંથી એક્તા યાત્રાનો પ્રારંભ કરાયો છે. ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરાની મુલાકાતે છે.
એકતાયાત્રામાં હાજરી આપવા સીએમ વડોદરાની મુલાકાતે છે. એકતાયાત્રા નિષ્ફળ રહેતાં સીએમએ હાજરી આપવી પડી છે.
એકતાયાત્રામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ફરશે. વડોદરાનાં છાણી-સમા વિસ્તારમાં એકતાયાત્રા ફરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણ પ્રસંગે એકતાયાત્રાનું આયોજન કરાયુ છે.