ચોટીલા વિધાનસભા બેઠકના કોંગ્રેસના MLA કોરોના પોઝીટીવ આવ્યા છે. ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાને કોરોના પોઝિટિવ આવ્યો કે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી છે. આજે ૩ નવેમ્બર ના રોજ તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, તેમની તબિયત સારી છે. સાથે તેમને તેમના સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરી છે.
નોધનીય છે કે, આજ રોજ કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષના પીઢ નેતાનું કોરોનાનાં કારણે નિધન થાયું છે. ધારસિંહભાઈ ખાનપુરા કોરોનાનાં કારણે અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ હતા.
નોધનીય છે કે, ગુજરાત રાજકારણના અનેક નેતાઓ કોરોનાની ગિરફતમાં સપડાઈ ચુક્યા છે. કોરોનાએ કોંગ્રેસ કે ભાજપ કોઈ પણ જોયા વિના દરેક ને પોતાની પકડમાં લીધા છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા ભરત સિહ સોલંકી પણ કોરોના ના સકંજામાં આવી ગયા હતા અને ૧૧૦ દિવસ કોરોના ને કારણે હોસ્પિટલ માં રહેવાનો વિક્રમ નોધાવ્યો હતો.