વિકાસશીલ ગુજરાત માં કોરોના વાઈરસ પણ સતત વિકસી રહ્યો છે. રાજ્યમાં સતત કોરોના કેસના આંકડા વધી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજ્યમાં કોરોનાએ વેગ પકડ્યો છે. અને દૈનિક નોધાતા આંકડા સતત વધી રહ્યા છે. રાજ્યમાં દૈનિક નોધાતા કેસનો આક આજે ૩૦૦૦ ની સપાટી વટાવી ગયો છે.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંક અનુસાર છે રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 3160 કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંક 3,21,598 ઉપર પહોચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 15 દર્દીના મોત થયા છે. તો 24 કલાકમાં 2028 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કુલ 16,252 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રીકવરી રેટ 93.52 ટકા છે.
રાજ્યમાં આજે કુલ 3,00, 280, લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 67,62,638 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 7,10,126 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 72,72,764 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારેના કુલ 2,73,041 વયના અને 45-60 વર્ષનાં કુલ 2,73,041 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 25,343 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે.