ડભોઇ,
અવારનવાર લોકો પોતાની માંગ સંતોષવા માટે આત્મવિલોપનની ચીમકી આપતા થઇ ગયા છે. ત્યારે વધુ એકવાર આત્મવિલોપનની ચીમકી આપવાની ઘટના સામે આવી છે. હવે એવું લાગે છે કે આત્મવિલોપનની ચીમકી આપવાનો દોર ચાલી રહ્યો છે. ત્યારે વધુ એકવાર ડબોઇમાં રહેતા અમજદ ગરાસિયાએ આત્મવિલોપનની ચીમકી આપી હતી. પાદરા નગરપાલિકા દ્વારા આવાસને શીલ મારવાની નોટિસ આપતા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી.
ત્યારે આ આત્મવિલોપનની ચીમકી આપતા પોલીસ દ્વારા અમજદની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ ડબોઇના મામલતદારે પણ અમજદને આશ્વાસન અપાયુ હતુ. ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા આવાસને લઇને શીલ મારવાની નોટિસથી અજમદે આ પગલા ઉઠાવ્યા હતા. સવારથી જ નગપાલિકાના પોલીસનો કાફલો અમજદના ઘરે ખડકી દેવામાં આવ્યુ હતુ.