Amreli News: અમરેલીમાં 3 સિંહબાળના મોતની ઘટના સામે આવી છે. શેત્રુંજી ડિવિઝનમાં જાફરાબાદની ખાણોમાં સિંહ સાથે સિંહબાળની ઈન્ફાઈટ થઈ હતી, જેમાં 3 સિંહબાળના મોત થયા હતા. ફોરેસ્ટ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી જીલ્લામાં આવેલા જાફરાબાદમાં માઈન્સમાં સિંહ અને સિંહબાળ વચ્ચે ઈન્ફાઈટ થઈ હતી. શેત્રુંજી ડિવિઝનમાં સિંહબાળના મોત થતાં પ્રાણીપ્રેમીઓ ચિંતાતુર બન્યા છે. ઇન્ફાઇટમાં 3 સિંહબાળના ઘટના સ્થળે જ મોત થયું હતું. સિંહબાળનું મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. વન્ય વિભાગે સિંહબાળના મોત અંગે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃરાજકોટમાં મનસુખ જાદવનું કારસ્તાન ખુલ્યું, મંદિરની જગ્યામાં દબાણ કર્યું
આ પણ વાંચોઃસુરતના કતારગામ વિસ્તારમાં આધેડે વીડિયો બનાવી આપઘાત કર્યો
આ પણ વાંચોઃવડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી દારૂના જથ્થા સાથે રૂ. 40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે