આવતીકાલે 16 તારીખે ગુરુ ર્પૂિણમાના દિવસે ખંડગ્રાસ ગ્રહણ થઈ રહ્યું છે ત્યારે રાજ્યમાં મંદીરોમા દર્શનનો સમય બદલવામાં આવ્યો છે.
પાવાગઢમાં માતાજીના દર્શન આ ગ્રહણ દરમિયાન બંધ રહેશે.પાવગઢમાં માતાજીના દર્શન ર્પૂિણમાના દિવસે બપોરના ૪ કલાકથી બીજે દિવસે તા. 17ના રોજ સવારના ૫ વાગ્યા માતાજીના દર્શન બંધ રહેશે. ત્યારબાદ રાબેતા મુજબ દર્શન ખુલ્લા મુકવામાં આવશે.
યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન શ્રી મહાકાળી કા માતાજીના મંદિર ટ્રસ્ટ તારીખ 16ને મંગળવારના રોજ ગુરૃ ર્પૂિણમાના દિવસે ખંડગ્રાસ ગ્રહણને લઇ માતાજીના દર્શનમાં વેધ પડતો હોય માતાજીના દર્શન ગ્રહણ દરમિયાન બંધ રાખવાનું અખબારી યાદી દ્વારા જણાવવામાં આવ્યુ છે.
તારીખ 16-7-19ના રોજ ગ્રહણ બપોરના 4 થી વેધ શરૃ થવાનો છે જયારે ગ્રહણનો સ્પર્શ મધ્યરાત્રિના 1.32 કલાકેથી મધ્યરાત્રીની 3.01 કલાક સુધી ચાલુ રહેશે. જયારે ગ્રહણનો મોક્ષ સવારે 4-00 કલાકે થશે જેથી મંદિરના દર્શન 16-7-19ના બપોરના 4-00 થી 17-7-19ના સવારના 5-00 કલાકે સુધી બંધ રહેશે. ઉલ્લેખનિય છે કે ગ્રહણ સમયે પાવાગઢ ખાતેના મંગીરમાં દર્શનનો સમય બદલવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.