વાપીના આનંદનગરના બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આનંદનગર બિલ્ડીંગના ધાબા પર લગાવવામાં આવેલા ટાવરમાં અચાનક આગ લાગી ગઈ હતી. 10 માળની આનંદનગર વિસ્તારની ઓચિંડ બિલ્ડીંગના ધાબામાં એક ટેલિફોનનો ટાવર લગાવવામાં આવ્યો છે, જેમાં અચાનક આગ લાગી જતાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગી જતાં બિલ્ડિંગમાં અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો.
આગ બાદ તુરંત જ ફાયરબ્રિગેડને ફોન કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં 2 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો કે થોડા સમય માટે બિલ્ડિંગમાં રહેતા નાગરિકોમાં ભય છવાઈ ગયો હતો