જામનગર,
ગણેશ ઉત્સવમાં હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે તે પહેલાં જ ગણપતિ બાપાએ તેમના ભક્તોને દર્શન આપ્યા છે. જણાવીએ કે જામનગરમાં એક વૃક્ષમાં ભગવાન ગણેશ જેવી આકૃતિ જોવા મળી હતી. આ આકૃતિ જોઈને લાગે છે કે જાણે બાપા તેમના ભક્તોને દર્શન આપવા આવ્યા છે.
આ વાત વાયુવેગની જેમ ફેલાઈ જતા ભક્તોનું ઘોડાપૂર બાપાની આકૃતિના દર્શન માટે પહોંચ્યા હતા.
આપને જણાવીએ કે આ જામનગરમાં આવેલ 50 દિગ્વિજય પ્લોટ વિસ્તારની ઘટના છે. જ્યાં મોડી રાતે વૃક્ષમાં ગણેશજીની આકૃતિના સમાચાર વાયુવેગેની જેમ ફેલાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ભક્તો દ્વારા પૂજા અર્ચના કરી ગણેશજીને પ્રસાદ ધરાવવાનું શરૂ કરાયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.