ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે સરકાર દ્રારા એક હેલ્પલાઈન ટોલ ફ્રી નંબરની સુવિધા કરવામાં આવી છે. આ હેલ્પલાઈન નંબરથી આગામી માર્ચ મહિનામાં યોજાનારી બોર્ડની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ માર્ગદશન મેળવી શકશે. આ હેલ્પલાઈન નંબર ૧૯ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. અને 28 માર્ચ સુધી ચાલુ રાખવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે ૧૮૦૦૨૩૩૫૫૦૦ હેલ્પલાઈન નંબર રાખવામાં આવ્યો છે.
આ ટોલ ફ્રી નંબર પર ફોન કરીને વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ડિપ્રેશનથી બહાર આવી શકે છે. આ હેલ્પલાઈન નંબર સાથે શિક્ષણના નિષ્ણાંતો કાઉન્સિલ માટે રાખવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓ પુરી ના કરી હોય કે પછી પરીક્ષાથી ડરીને ખોટા પગલા ભરી લેતા હોય છે. તેવા વિદ્યાર્થીઓ માટે આ હેલ્પલાઈન નંબર સારો ઉપયોગી સાબિત થશે. આ હેલ્પલાઈન નંબર વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ પણ ફોન કરીને માર્ગદર્શન મેળવી શકે એવી સુવિધા ઉભી કરવામાં આવી છે.