ઈરાન,
તહેરાનથી યસુજ જઈ રહેલા ઈરાનનું એક યાત્રી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની ઘટના સામે આવી છે. એક સમાચાર એજેન્સીના જણાવ્યા મુજબ, આ યાત્રી વિમાન ૬૬ યાત્રીઓને લઇને જઈ રહ્યું હતું ત્યારે ઉડાન ભર્યાના થોડાક જ સમયગાળામાં વિમાનનો એટીસીસાથે સંપર્ક તૂટી ગયો હતો. પ્રારભિક રિપોર્ટ અનુસાર, વિમાનમાં સવાર તમામ ૬૬ યાત્રીઓની આ ઘટનામાં મોત નીપજ્યું છે. આ ઘટના બાદ તમામ ઈમરજન્સી ફોર્સને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ વિમાને તેહરાનના મેહરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી.
જાણવામાં આવી રહ્યું છે કે, આ યાત્રી વિમાન જ્યાં દુઘર્ટનાગ્રસ્ત થયું છે તે એક પર્વતીય વિસ્તાર છે. તહેરાનથી યસુજ માટે ઉડાન ભરેલા અસેમન એયરલાઈન્સનું આ વિમાન સેમિરોમ શહેર પાસે ક્રેસ થયું છે.
અસેમન એયરલાઈન્સના પ્રવક્તા ઈરાન ટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ યાત્રી વિમાનમાં એક બાળક સહિત ૬૦ યાત્રી અને ૬ કૃ મેમ્બર સવાર હતા. બે એન્જિનવાળા આ વિમાન નાની યાત્રા માટે ઉપયોગ કરવામાં આવતું હોય છે. આ દુર્ઘટના બાદ ખરાબ વાતાવરણના કારણે રાહત અને બચાવ કામગીરીમાં સમસ્યા ઉભી થઇ રહી છે.