અમદાવાદ,
અમદાવાદથી મુંબઇ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનનો રસ્તો સાફ થઇ ગયો છે. બુલેટ ટ્રેને પ્રોજેક્ટ માટે જમીન સંપાદન પ્રક્રિયાને ગુજરાત હાઈકોર્ટે લીલીઝંડી આપી છે. જો કે, ખેડૂતો માટે રાહતના કોઇ સમાચાર નથી. હાઇકોર્ટે ખેૂડતોને વળતર આપવાની માંગ ફગાવી દીધી છે.જસ્ટીસ અનંત દવે અને અને બિરેન વૈષ્ણવની ખંડપીઠે ચુકાદો આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે બજાર કિંમત કરતાં પણ ઓછી રકમનું વળતર ખેડૂતોને ચુકવવામાં આવશે. આંતરરાજ્ય પ્રોજેકટ હોવા છતાં પણ હાઇકોર્ટે તેને કેન્દ્ર સરકારની ઓથોરિટી ગણાવી.
રાજ્યના ખેડૂતોએ માંગ કરી હતી કે વળતરની રકમ 2011 નક્કી કરેલા જંત્રી મુજબ નહીં પણ તાજેતરમાં ચાલી રહેલી માર્કેટમાં જે તે વિસ્તારની જમીનના ભાવ પ્રમાણે હોવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.