ગુજરાત સરકાર દ્રારા ગુજરાતના મુખ્ય સચિવનો કાર્યકાળ વધારવાની વિધિવત રીતે કેન્દ્ર સરકારને રજુઆત કરવામાં આવી હતી. ગુજરાતનાં મુખ્ય સચિવ જે.એન.સિંઘનો કાર્યકાળ પુરો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાત સરાકર દ્રારા છ માસ માટે ફરજનો કાર્યકાળ વધારવા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવી હતી. કેન્દ્રી સરકાર દ્રારા ગુજરાત સરકારની દરખાસ્તને માન્ય રાખવામાં આવી છે અને મુખ્ય સચિવ જે.એન.સિંઘનો કાર્યકાળ છ મહિના માટે વધારી દેવમાં આવ્યો છે.
ગુજરાત સરકાર દ્રારા કરવામાં આવેલી કાર્યકાળ વધારવાની અરજી પર કેન્દ્ર સરકાર દ્રારા બે-ત્રણ દિવસ કરેલા વિચાર વિમર્શ પછી કાર્યકાળ વધારાને લીલી ઝંડી આપવાનમાં આવી હતી. કેન્દ્ર સરકાર કદાચ છેલ્લી ઘડીએ એક્સ્ટેંશનને મંજૂર ન કરે તો ગુજરાત સરકાર દ્રારા નવા મુખ્ય સચિવ તરીકે અરવિંદ અગ્રવાલ અને અનિલ મુકીમનાં નામો ચર્ચામાં સૌથી મોખરે હતા. ત્યારે કેન્દ્ર દ્રારા દરખાસ્ત મંજુર કરવામાં આવતા સારાસમાચાર મળ્યા ગણાવી શકાય.
આપને જણાવી દઇએ કે જે. એન. સિંધને છ માસનું એક્સ્ટેંશન મળી શકે છે તેવી સંભાવનાં સૌપ્રથમ મંતવ્ય ન્યૂઝ દ્રારા રજુ કરવામાં આવી હતી.
https://api.mantavyanews.in/chief-secretary-jn-singhs-tenure-ended-the-state-government-asked-for-six-month-extension/