ભચાઉ,
ભચાઉ તાલુકાના લોધેશ્વર નજીક નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશનમાં ન્હાવા પડેલા બે કિશોર ડૂબી જતા તેમના મોત નિપજ્યા હતા. બે માસુમ બાળકોના મોતથી અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગતો મુજબ ભચાઉ-દુધઈ રોડ પર લોધેશ્વર નજીક નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશન પાસે ન્હાવા પડેલા બે કિશોર ડૂબી ગયા હતા. મૃતક 15 વર્ષીય સદાન ફીરોઝ શેખ અને 12 વર્ષીય રવિ રમેશભાઈ વાલ્મિકીનો સમાવેશ થાય છે.
બન્ને એકાએક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આસપાસના લોકોએ તેમની શોધખોળ હાથ ધરી હતી.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.