રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજ્યંતિ નિમિતે ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદના ઈન્કમટેક્ષ ચાર રસ્તા પાસે બાપૂની પ્રતિમાને પુષ્પાજંલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં ગુજરાત પ્રદેશના પ્રમુખ અમિત ચાવડા, શહેર પ્રમુખ શંશીકાંત પટેલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્મા સહિત અનેક કાર્યકરો હાજર રહ્યા હતા. પુષ્પાજંલિ બાદ અમિત ચાવડાએ બાપૂને યાદ કરતા નિવેદન આપ્યું હતુ કે ગાંધીજીના મૂલ્યો અને સિદ્ધાંતો સાથે કોંગ્રેસ પોતાની લડત ચાલૂ રાખશે.
ઉલ્લેખનિય છે કે ઈન્કમટેક્ષ ચાર રસ્તા પાસે આવેલી બાપૂની પ્રતિમાને દાંડીયાત્રાના પ્રતિક સ્વરૂપ બનાવવામાં આવી છે. ઈન્કમટેક્ષ પાસે મુકાયેલી બાપૂની પ્રતિમામાં બાપૂ દાંડી તરફ જતા નજરે ચડે છે. મૂર્તિકારે તે પ્રતિમાનું મુખ નવસારીના દાંડી તરફ બનાવ્યું છે.
આમ આ દાંડીયાત્રાના પ્રતિમાત્મક સ્વરૂપ બનેલી આ પ્રતિમાને કોંગ્રેસના કાર્યકરોએ પુષ્પાજંલિ અર્પી પોતાની લડત પણ તેમના સિદ્ધાંતોને ધ્યાનામાં રાખીને લડવાની વાત કરી હતી.