મહીસાગર,
મહીસાગરના લુણાવાડાના હોસેલિયા ચોકડી પાસે વિધાર્થી ભરેલ રીક્ષા પલ્ટી ગઈ છે. જેમાં બેઠેલા વિદ્યાર્થીઓમાંથી એકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે અને ચાર ઈજાગ્રસ્ત થયા છે.
વરધરી જલારામ સ્કુલની વિધાર્થી ભરેલ રીક્ષા પલ્ટી ખાઈ ગઈ છે.ધોરણ 2 માં અભ્યાસ કરતા બાળકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે.
શાળાની શિક્ષિકા અને વિધાર્થીને ઇજા થતાં લુણાવાડા કોટેજ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
સ્કુલ લઇ જતી આ છકડા રીક્ષામાં 12 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક સવાર હતા. જેમાંથી એક બાળકનું ઘટના સ્થળે જ નિધન થઇ ગયુ છે. તેમને જલારામ સ્કૂલથી વરધી ગામ ખાતે લઇ જઇ રહ્યાં હતાં.
રિક્ષામાં સવાર તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.