સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગરમાં ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.વઢવાણ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.પ્રાથમિક સુવિધાઓ નહિં મળતાં ગ્રામજનો નારાજ થઇ ગયા હતા અને રોષે ભરાઇને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.જો આગામી દિવસમાં પ્રાથમિક સુવિધા નહીં મળે તો 500 થી પણ વધુ મતદારો મતદાન નહિં કરે.જો કે સ્થાનિકોએ પ્રાથમિક સુવિધા મળે તે માટે કલેકટરને આવેદન આપીને રજૂઆત પણ કરી હતી.