સુરત,
સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓની આત્માની શાંતિ માટે હવન રાખવામાં આવ્યો હતો.આ ઘટનાના એક માસ પૂર્ણ થતા હવન રાખવામાં આવ્યો હતો. અને વિદ્યાર્થીઓની આત્માને શાંતિ મળે એવી પ્રાથના કરવામાં આવી હતી.લોકોએ ફરીથી પોતાના વિધિવત વ્યવસાય શરૂ કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે, એક માસ પહેલા તક્સશિલા અગ્નિકાંડમાં 22 વિદ્યાથીઓએ જીવ ગુમાવ્યો હતો.જે બાદ કાર્યવાહીમાં 9 અધિકારીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા હતા.