જાણીતી સહારા કંપનીના ડાયરેક્ટર સુબ્રોતો રોય સહિત મેનેજર સામે સુરતના ખટોદરા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.સુરતમાં રહેતી વ્યક્તિએ 12 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરી છે.
સૂરતના સિટી લાઈટ વિસ્તારમાં રહેતા સંજય મુરકાએ ખટોદરા પોલીસ મથકે સહારા કંપનીના ડાયરેક્ટર સુબ્રોતો રોય અને કંપનીના મેનેજર મળી 12 લોકો વિરૂદ્ધ પોલીસમાં છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
2009માં સહારા આસ્થા કંપનીએ 12 લાખથી વધુના બોન્ડ ઇસ્યુ કર્યા હતાં. જે તે સમયે કંપની દ્વારા તેઓને 5 વર્ષમાં ઊંચું વળતર સાથે રૂપિયા ડબલ કરવાની લાલચ આપી હતી.
સંજય મુરકાની ફરિયાદી પ્રમાણે તેમણે સહારા કંપનીમાં રોકાણ કર્યું હતું. એ પછી સંજયે રૂપિયા પરત માંગતા કંપનીના કર્મચારીઓએ ઉડાવ જવાબ આપી ફરિયાદીને ખોટા કંપનીના સહારા કયુ કંપનીના બોન્ડ પધરાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ કંપની પાસે રૂપિયા માંગતા કંપનીના કર્મચારીઓ દ્વારા ઉડાવ જવાબ મળ્યો હતો.
ફરિયાદી સાથે ફ્રોડ થયાનું માલુમ થતા ફરિયાદીએ સહારાના ડાયરેક્ટર અને અન્ય કંપનીના જવાબદાર 12 લોકો વિરૂદ્ધ છેતરપિંડી અને ષડયંત્ર રચવાની ફરિયાદ નોંધાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.