સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસના નેતા એહસાન જાફરીની વિધવા ઝાકિયા જાફરીએ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના 60 થી વધુ વરિષ્ઠ અધિકારીઓ સામે લગાવેલા આરોપોને ફગાવી દીધા છે. આ પછી એક ઈન્ટરવ્યુમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ઘણા વર્ષો સુધી ખોટા આરોપો સહન કર્યા. આ મુલાકાતના થોડા કલાકોમાં જ ગુજરાત પોલીસે આ કાર્યવાહી કરી છે. જે અંતર્ગત ગુજરાત પોલીસે ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ, ભૂતપૂર્વ IPS અધિકારી RB શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડ સામે 2022ના ગુજરાત રમખાણો વિશે ખોટી માહિતી આપવા બદલ કેસ નોંધ્યો છે.
કોણ છે એસબી શ્રીકુમાર?
RB શ્રીકુમાર કેરળના તિરુવનંતપુરમના 1971 બેચના IPS અધિકારી છે. એપ્રિલ 2002 દરમિયાન તેમને એડિશનલ ડીજીપી (ઈન્ટેલિજન્સ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. શ્રીકુમારે કેરળ યુનિવર્સિટીમાંથી ઈતિહાસમાં સ્નાતકની પદવી મેળવી અને ગાંધીવિચાર, અંગ્રેજી સાહિત્ય અને અપરાધશાસ્ત્ર (LLM)માં માસ્ટર કર્યું.
ગુજરાતમાં પોસ્ટિંગ કરતા પહેલા, RB શ્રીકુમાર ને 1979માં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)માં પોસ્ટ કરવામાં આવ્યા હતા અને 1980-84 સુધી CISF યુનિટના કમાન્ડન્ટ તરીકે સેવા આપી હતી. આ પછી તેઓ ખેડા અને કચ્છ જિલ્લાના એસપી પદ ઉપર ગુજરાત પરત ફર્યા. આ પછી તેમણે ગુજરાત વિદ્યુત બોર્ડ (ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ)માં સુરક્ષા નિર્દેશક તરીકે પણ કામ કર્યું.
તેમનો સૌથી લાંબો કાર્યકાળ ગુજરાતની બહાર ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)માં હતો, જ્યાં તેમણે 1987 થી 1999 સુધી અનેક હોદ્દા સંભાળ્યા હતા. RB શ્રીકુમાર 1992 સુધી નવી દિલ્હીમાં IB હેડક્વાર્ટરમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે નિયુક્ત હતા. પછી તેમને તિરુવનંતપુરમમાં આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્સ બ્યુરો (SIB) ના ડેપ્યુટી ડાયરેક્ટરના પદ પર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
વર્ષ 2002 દરમિયાન, કેશુભાઈ પટેલની સરકાર રાજ્યમાં હતી ત્યારે શ્રીકુમાર ગુજરાત પરત ફર્યા. તેમને ગુજરાતમાં ADGPનું પદ આપવામાં આવ્યું હતું. આ પછી, શ્રીકુમારને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં ગુપ્તચર વિભાગના પ્રભારી બનાવવામાં આવ્યા હતા.
સત્તા સાથે ઘર્ષણ
રાજ્ય સરકાર સાથે શ્રીકુમારનો પ્રથમ મુકાબલો ત્યારે થયો જ્યારે તેમણે તત્કાલિન મુખ્ય ચૂંટણી કમિશનર જેએમ લિંગદોહને એક રિપોર્ટ રજૂ કર્યો. અહેવાલમાં જણાવાયું છે કે ગુજરાતના 182 મતવિસ્તારોમાંથી 154 વિસ્તારો રમખાણોથી પ્રભાવિત થયા હતા અને વિસ્થાપનને કારણે એક લાખથી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમના અહેવાલે સરકારના દાવાઓને રદિયો આપ્યો હતો કારણ કે સરકારે કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી માટે વાતાવરણ એકદમ શાંતિપૂર્ણ હતું.
નિવૃત્તિ પછી, શ્રીકુમારે ગુજરાત રમખાણોના પીડિતોને મદદ કરવા માટે ગુજરાતમાં પાછા રહેવાનું વિચાર્યું. હાલ તેઓ અમદાવાદમાં રહે છે. 2015 માં, ગુજરાત રમખાણો પર એક પુસ્તક પણ પ્રકાશિત થયું હતું, જેનું નામ હતું “Gujarat Behind the Curtain”.
OMG! / મિયાઝાકી કેરી, જેની સુરક્ષા માટે મૂક્યા છે ચાર ગાર્ડ અને 6 કુતરા, જાણો કેમ ?